શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાવાઝોડાંનું નામ ‘બિપરજોય’ જ કેમ પડ્યું? વાવાઝોડાંનાં નામ કઈ રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાંનાં નામ પાડવાની શરૂઆત ક્યારથી થઈ?
- યુનાઇટેડ નેશન્સની સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO)એ પ્રસિધ્ધ કરેલી માર્ગદર્શિકા પ્રમાણે વાવાઝોડાંનાં નામ પાડવામાં આવે છે. ‘સાયક્લોન' શબ્દ ગ્રીક શબ્દ ‘સાયક્લોસ’માંથી ઉદભવ્યો છે, જેનો અર્થ થાય છે ગુંચળું વાળીને બેઠેલો સાપ. વિવિધ દેશો પોતાનાં વારા પ્રમાણે વાવાઝોડાંનાં નામ આપે છે. વાવાઝોડાંની ઝડપ પ્રમાણે કેટેગરી નક્કી કરવામાં આવી છે.
- છેલ્લાં કેટલાંક દિવસોથી ‘બિપરજોય' નામ સતત સમાચારોમાં ચમકી રહ્યું છે. બિપરજોયે હવે ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લીધું છે અને 15 જૂનનાં રોજ કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાવાઝોડાંનું નામ ‘બિપરજોય’ જ કેમ પડ્યું? વાવાઝોડાંનાં નામ કઈ રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાંનાં નામ પાડવાની શરૂઆત ક્યારથી થઈ?
- યુનાઇટેડ નેશન્સની સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO)નાં નિર્દેશ પ્રમાણે વાવાઝોડાંનાં નામ પાડવામાં આવે છે. મીડિયા, વૈજ્ઞાનિક સમુદાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સરળતા માટે અને જે તે વાવાઝોડાં અંગે રિપોર્ટ કરવા, ચેતવણી જારી કરવા, સમુદાયોને તેનો સામનો કરવા તૈયાર કરવા અને એક જ સ્થળે અનેક તોફાન સક્રિય થાય તે સ્થિતિમાં ગૂંચવાડો રોકવા માટે વાવાઝોડાંનાં નામ રાખવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વનાં કોઈ પણ સમુદ્રમાં આકાર લેતાં વાવાઝોડાંનું નામ આપવાની સત્તા ‘રિજનલ સ્પેશ્યલાઇઝ્ડ મિટિયોરોલોજિકલ સેન્ટર્સ' (RSMCs) અને પાંચ *ટ્રોપિલક સાયક્લોન વોર્નિંગ સેન્ટર્સ' ((TCWCs)ને આપવામાં આવી છે. છ (RSMCs) માં ભારતીય હવામાન ખાતાનો પણ સમાવેશ થાય છે.
- 1950નાં દાયકા પહેલાં તોફાનોનાં નામ નહોતા આપવામાં આવતા. એટલાન્ટીક સમુદ્રમાં ઉઠતા વાવાઝોડાંનાં નામકરણની શરૂઆત 1953માં એક સંધિ દ્વારા થઈ, જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રનાં આઠ દેશોએ ભારતની પહેલને કારણે વર્ષ 2004માં નામ આપવાની શરૂઆત કરી. આ આઠ દેશોમાં ભારત, બાંગલાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઇલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં તેમાં ઇરાન, સાઉદી અરેબિયા, યુએઇ અને યમન પણ જોડાયાં. જો સમદ્રમાં કોઈ તોફાન સર્જાતું જોવાં મળે તો આ 13 દેશો પોતાનાં વારા પ્રમાણે તેનાં નામ આપે છે.
- જેમ કે 2017માં આવેલા ‘ઓખી” વાવાઝોડાંનું નામ બાંગલાદેશે આપ્યું હતું.
- સોમાલિયામાં ત્રાટકેલાં ‘ગતિ’ વાવાઝોડાંનું નામ ભારતે આપ્યું હતું.
- હાલમાં જેની ખૂબ ચર્ચા છે તે ‘બિપરજોય’ નામ બાંગલાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. ‘બિપરજોય’નો અર્થ થાય છે આફત.
- આગામી 25 વર્ષમાં આવનારા વાવાઝોડાંના નામ અત્યારથી નક્કી કરવામાંઆવી દેવાયા છે.
- ભારતે આપેલાં નામોમાં ‘તેજ’, ‘મુરાસુ’, ‘આગ’, ‘નીર’, ‘પ્રભંજન’, પુર્ની, અને ‘વેલોસિટી'નો સમાવેશ થાય છે.
- તો બાંગલાદેશે ‘અનંબ’ અને ‘કતાર શાહીન’, પાકિસ્તાને ‘લુલુ” અને મ્યાંમારે ‘પિક્’ નામ નક્કી કર્યા છે. 25 વર્ષ માટેની આ યાદી બનાવતી વખતે એવું માનવામાં આવે છે કે દર વર્ષે ઓછામાં ઓછાં પાંચ વાવાઝોડાં આવશે.
વાવાઝોડાંની ઝડપ પ્રમાણે કેટેગરી નક્કી કરવામાં આવી છે.
- ઓછામાં ઓછા 63 કિલોમીટર પ્રતિ ક્લાક અથવા તેનાંથી વધુ ઝડપ ધરાવતા વાવાઝોડાંનું જ નામકરણ કરવામાં આવે છે.
- 118 કિમી.થી વધુની ઝડપે પવન ફૂંકતા વાવાઝોડાને ગંભીર શ્રેન્નીમાં ગણવામાં આવે છે અને
- 221 પ્રતિ કલાકથી વધુને ઝડપે પવન ફૂંકતાવાવાઝોડાંને ‘સુપર સાયક્લોનિક સ્ટોર્મ’કહેવામાં આવે છે.
- એટલાન્ટિક અને પૂર્વ ઉત્તર પ્રશાંત વિસ્તારોમાં આવતા તોફાનનાં નામ આપવા માટે છ યાદી બનાવવામાં આવી છે. વાવાઝોડાંનાં નામકરણ માટે ‘ઓડ-ઇવન’ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ થાય છે. ‘ઇવન” વર્ષ (બેકી સંખ્યા) એટલે કે 2002, 2004, 2008, 2014માં તોફાન આવે તો તેને પુલ્લિંગ નામ આપવામાં આવે છે, જ્યારે ‘ઓડ’ વર્ષ (એકી સંખ્યા) જેમ કે 2003, 2005, 2007માં તોફાન આવે તો તેને સ્ત્રીલિંગ નામ આપવામાં આવે છે. એક નામને છ વર્ષ માટે ફરી ઉપયોગમાં ન લઈ શકાય.
- 'સાયક્લોન' શબ્દ ગ્રીક શબ્દ સાયક્લોસમાંથી ઉદભવ્યો છે, જેનો અર્થ થાય છે ગુંચળું વાળીને બેઠેલો સાપ
વાવાઝોડાં અંગેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે
1. સૂચિત નામ રાજકારણ કે રાજકારણી, ધાર્મિક માન્યતા, ધર્મવિશેષની સંસ્કૃતિ સાથે ન સંકળાયેલું હોવું જોઇએ.
2. આ નામથી વિશ્વનાં કોઈ ખૂણે કોઈ વ્યક્તિ કે જૂથની લાગણી ન દુભાતી હોવી જોઇએ.
3. આ નામ ટૂંકું, ઉચ્ચારમાં સ૨ળ હોવું જોઇએ.
4.નામ મહત્તમ આઠ અક્ષરનું હોવું જોઇએ અને સાથે તેનો ઉચ્ચાર અને વોઇસ ઓવર | આપવાનો રહેશે.
5. ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉદભવતા વાવાઝોડાંનાં નામોનું પુનરાવર્તન ન થવું જોઇએ. એટલે કે એક વાર નામ અપાય પછી ફરી કોઈ
વાવાઝોડાંને એ નામ નહીં આપવામાં આવે.
_3.jpeg)
0 ટિપ્પણીઓ
Thanks